ગુજરાતમાં બે વાવાઝોડાની અસરથી ચોમાસુ પાકમાં મોટુ નુકસાન થયું છે. જેમાં જગતના તાતને પહેલા ક્યાર નામના વાવાઝોડાએ અને ત્યાર બાદ મહા વાવાઝોડાએ રાતા પાણીએ રોવડાવ્યા છે. હાલ ગુજરાત લીલા દુકાળનો ભોગ બન્યુ છે. છેલ્લા સપ્તાહમાં તૈયાર પાક પણ પલળી જતા ખેડૂતોને મોટુ સુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરા છે કે, પાક વીમો તો ચુકવાશે જ પણ જે ખેડૂતોએ વીમો નહી લીધો હોય તેમને પણ વળતર ચુકવવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, અતિવૃષ્ટિથી થયેલા નુકસાનનું ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવશે. વીમો ન લીધેલા ખેડૂતોને કેન્દ્રના ધોરણો પ્રમાણે વળતર ચૂકવાશે.
હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી મોકુફ
ટેકાના ભાવે મગફળીની ખરીદી પણ હાલ 15મી નવેમ્બર 2019 સુધી મોકુફ રાખવામાં આવી છે.