ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ-કેપ્ટન રોહિત શર્મા પણ દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાયરસ સામેની લડાઇમાં જોડાયા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્મા પણ પીડિતોને મદદ કરવા આગળ આવ્યો છે. અહેવાલો અનુસાર કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ 3 કરોડની આર્થિક સહાય આપી છે. જોકે બંનેએ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હવે રોહિત શર્માએ કોરોના વાયરસથી પીડિત લોકોની સહાય માટે 80 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ભારતમાં 1100 થી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે.
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ એ 21 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. રિવાબા જાડેજા એ પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 21 લાખ આપવાની જાહેરાત કરી છે. પોતાની બચત મૂળી માંથી 21 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડમાં આપ્યા. સોસીયલ મીડિયામાં વિડીયો પોસ્ટ મૂકી જાહેરાત કરી હતી. સાથે જ લોકોને લોકડાઉનનું પાલન કરી ઘરમાં રહી સુરક્ષિત રહી દેશ સેવામાં યોગદાન આપવા અપીલ કરી હતી.