LRD વિવાદ/ આંદોલનનો સુખદ અંત, 1 ઓગસ્ટ 2018ના પરિપત્રનો અમલ નહીં થાય

રાજ્ય સરકારે આખરે LRD ભરતી વિવાદનો સુખદ અંત લાવ્યો છે. જેમાં આજ રોજ હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. ત્યારે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં જણાવ્યું કે, નવો ઠરાવ હાલ પુરતો અમલમાં આવશે નહીં, જ્યારે 1 ઓગસ્ટ 2018ના ઠરાવનું પાલન થશે નહીં. તેમજ આ ભરતીમાં 3 સપ્ટેમ્બર 2014ના પરિપત્ર મુજબ સરકાર આગળની ભરતી પ્રક્રિયા હાથ ધરશે.

વધુમાં જણાવ્યુ હતુ કે, રજ્ય રકાર દ્વારા 2484 નવી પોસ્ટ ઉભી કરવામાં આવી છે. તેમાં 125માંથી 62.5 માર્ક્સ હશે તેની ભરતી કરવામાં આવશે. આગામી ત્રણ અઠવાડીયામાં ભરતી કરવામાં આવશે.

વધુ સુનાવણી 11 માર્ચના રોજ યોજાશે.

શું હતો વિવાદ?
આ ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોનું મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ સાથેના GADએ બહાર પાડેલા 1-8-2018ના ઠરાવને રદ્ કરવાની માંગણી સાથે છેલ્લા 70 દિવસથી ગાંધીનગરમાં SC, ST, OBCની મહિલા ઉમેદવારો ઉપવાસ આંદોલન કરી રહી છે. જેની સામે સરકારે 11 ફેબ્રુઆરીએ ઠરાવ રદ્ કરવાની જાહેરાત કરી પરંતુ આ જાહેરાત બાદ બિન અનામત વર્ગે આંદોલન શરૂ કર્યું હતું.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Design a site like this with WordPress.com
Get started