ગુજરતમાં કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે સમાચાર આવ્યા છે. રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે શિયાળુ પાક ઘઉં, ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી માટે આગામી સમયમાં માર્કેટયાર્ડો ખરીદી ચાલુ થશે. રવિ સિઝન 2020-21માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી સોમવાર 27 એપ્રિલથી 30 મી મે-2020 સુધી ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે કરવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જાણકારી આપતાં કહ્યું કે, ઘઉંનું ખરીદી માટેનું રજિસ્ટ્રેશન સોમવાર 27 એપ્રિલથી 10 મે-2020 સુધી કરાવવાનું રહેશે. માર્કેટયાર્ડો દ્વારા હાલમાં કોરોના વાયરસના વ્યાપક સંક્રમણની સ્થિતીમાં ખેડૂતો દ્વારા માસ્કનો ઉપયોગ તથા ખરીદ કેન્દ્ર ખાતે સેનેટાઇઝરની સુવિધા ઉપલબ્ધ કરાવવા અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા રહશે. રાજ્યમાં રાષ્ટ્રીય લૉકડાઉન વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં સરકારે 15મી એપ્રિલથી જ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. આ માર્કેટિંગ યાર્ડમાં ઘઉ, ચણા, રાયડો સહિતના અનાજની આવક પણ શરૂ થઈ ગઈ છે.
રાજ્યમાં ખેડૂતોના ઘઉં તૈયાર છે ત્યારે યાર્ડને ધીરે ધીરે સોશિયલ ડિસ્ટન્સીંગ રાખી ખોલવામાં આવી રહ્યા છે. 22મી એપ્રિલ સુધીમાં રાજ્યનામાં 21 યાર્ડ ધમધમી ઉઠ્યા છે. સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત પણ કરી દીધી છે.
સરકારે આજે રાયડો અને ચણાની પણ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી છે. સરકાર 1925 રૂપિયા પ્રતિક્વિન્ટલના ભાવે 30મી મે સુધી ખરીદી કરશે. રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારે ટેકાના ભાવે ચણા અને રાયડાની પણ ખરીદી કરશે. દ્વારા 27મી એપ્રિલ દ્વારા 50 મેટ્રિક ટન રાયડો અને ચણાની ખરીદી કરવામાં આવશે આ ખરીદીની શરૂઆત 27મી એપ્રિલથી થશે.